April 19, 2026

લદ્દાખમાં 26 સૈનિકોને લઈ જતું વાહન શ્યોક નદીમાં પડ્યું, 7ના મોત

Share Now

સમય ન્યૂઝ. નવી દિલ્હીઃ લદ્દાખના તુર્તુક સેક્ટરમાં શુક્રવારે એક માર્ગ અકસ્માતમાં સાત જવાનોના મોત થયા છે. સેના તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે નવ વાગ્યે લદ્દાખના પરતાપુરના ટ્રાન્ઝિટ કેમ્પથી 26 જવાનોને લઈને એક ગાડી હનીફ સબ-સેક્ટરની ફોરવર્ડ પોસ્ટ માટે રવાના થઈ હતી. થોઈસથી લગભગ 25 કિમી દૂર સૈનિકોને લઈ જતું વાહન રસ્તા પરથી લપસી ગયું અને 50 થી 60 ફૂટ ઊંડી શ્યોક નદીમાં પડી ગયું.

તમામ ઘાયલ 26 જવાનોને બહાર કાઢીને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લેહથી સર્જિકલ ટીમને પરતાપુર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બાકીના 19 ઘાયલ સૈનિકોને એરફોર્સની મદદથી વેસ્ટર્ન કમાન્ડ હોસ્પિટલ ચંડીમંદિરમાં ખસેડવામાં આવ્યા છે, જેથી તેઓને વધુ સારી મેડિકલ સુવિધાઓ મળી શકે.

Related News
અમદાવાદની UN મહેતા હોસ્પિટલના RMO કોશિક બારોટની ધરપકડ, જાણો શું છે કેસ

સમય ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરાઈ છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે Read more

કપિલ સિબ્બલે કહ્યું, કોંગ્રેસ છોડી – સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાની ઉમેદવારીનું સમર્થન કર્યું

સમય ન્યૂઝ. લખનૌઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે આજે ખુલાસો કર્યો છે કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને Read more

સાડીમાં હિપ-હોપ કરનાર આ સુપર ડાન્સરના વિડીયોએ વિશ્વભરમાં ધૂમ મચાવી, શું તમે જોયો

સમય ન્યૂઝ.નવી દિલ્હી: ફ્યુઝન ડાન્સ જોવામાં હંમેશા મજા આવે છે, ખાસ કરીને જ્યારે તે ઈન્ડો-વેસ્ટર્ન હોય. હાઇબ્રિડ ભરતનાટ્યમ કોરિયોગ્રાફર ઉષા Read more

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને હટાવ્યા

સમય ન્યૂઝ. ચંદીગઢઃ ​​પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા છે. મળતી માહિતી મુજબ, ભ્રષ્ટાચારના આરોપોને Read more

Leave a comment