નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં PM મોદીથી લઈને કેન્દ્રિય મંત્રીઓ અને દિગ્ગજ નેતાના પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતમાં એકાએક નેતાઓની ગતિવિધિ વધતાં વહેલી ચૂંટણીના એંધાણ ગણવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રભારી યાદવની મુખ્યમંત્રીના નિવાસ્થાને બેઠક મળશે. આ બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો હજાર રહેશે. સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી વિધાનસભાની ચૂંટણી ને લઈને BJP દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવશે.
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ તરત જ પ્રભારી ભુપેન્દ્ર યાદવ બે દિવસ ગુજરાત પ્રવાસે આવતા નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. તો બીજું બાજુ આવતીકાલે કમલમ ખાતે ભાજપના હોદ્દેદારો સાથેની બેઠક કરશે. ઉપરાંત ખાલી પડેલા બોર્ડ અને નિગમોમાં નિમણૂંક અંગે ચર્ચાઓ થઈ શકે છે.
